Friday, October 28, 2016

લેટિન (શબ્દ યાત્રા ) __પં.ડો. હિતેષ એ. મોઢા




'લેટિન (શબ્દ યાત્રા ) 

લેટિન- Latinum આ લેટિન વ્યાકરણનુ શિષ્ટ રૂપ છે, પરંતુ તેના બીજા રૂપો જેવા કે Latio, latiou. અહિ કદાચ લિપ્યાંતર દોષ રહી જાય છે. Latus = સપાટ જમીન, પહોળુ, જેવો અર્થ થાય છે લેટિન ભાષામાં.  ચાલો હવે આ શબ્દની યાત્રા કરીએ.  

આ શબ્દ આવતા આંખ સામે, રોમ અને રોમનો નો ઈતિહાસ અને યુરોપનું લેગ્વેંજ ગૃપ આંખ સામે આવી જાય છે, ઈંગ્લીશ લોકો ની હાઈપોથીસીસ અનુસાર સંસ્કૃત ભાષાની ભગીની ભાષા છે.  ખેર ચાલો આજે શબ્દ ના મૂળમાં જઈએ.  આ શબ્દ મૂળે પ્રદેશ માટે, પર્ટીકયુલર આકાર માટે વપરાતો, જે પ્રથમ વાર ટ્રોજન-વોર ની કથામાં સંભળાયો હતો. આ શબ્દ હાલના ઈટલી માટે વપરાતો હતો. રોમ શહેર પહેલા.  માથાની લટ જેવા આ પ્રદેશ ને સંસ્કૃતમાં ''લટવા '' કહે છે. અને પ્રથમ અક્ષરની ની આગળ 'આ' ક્રિયા વિશેષણ બનાવી લાટવા કરી શકાય, આ પદ્ધતિ ફકત સંસ્કૃત ભાષાની જ છે.  કદાચ માથાની લટ ની જેમ લટકતા કે લાંબા સાંકડા ઉભા પટ્ટા જેવા વિસ્તાર ને કદાચ લાટવા કે  લાટ કહેવા લાગ્યા હોય!!!! કારણ એક સમયે રોમમાં કશુ હતુ જ નહિ. સંસ્કૃત ભાષીઓ ટોળી જ પ્રથમ વાર ત્યાં પગ મૂકે છે. ત્યારે આ પ્રદેશની ભૌગોલિક સંરચના ને કારણે, લાટ કે લાટવા કે લાટા કહેવા લાગ્યા હોય, આ એક  અનુમાન છે  આ શબ્દનું  પ્રાકૃત-કરપ્ટેડ ફોર્મ લાટ લાટવ કે લાટણ.  સંસ્કૃત લટવા= માથાની લટ, સેર, માથાની લટ આકારનુ,   બીજો એક શબ્દ લટભ= લાવણ્ય વાન, સૌંદર્ય વાન.  ત્રીજો શબ્દ છે, લાટા = મૂળ પ્રદેશ, કે મૂળ રહેવાસી સ્થાનિકના સંદર્ભમાં.  લાટિકા= એક શૈલી, પ્રાકૃત બોલી .

ઉભા પટ્ટા જેવા સાંકડા પ્રદેશ માટે લાટ શબ્દ સસ્કૃત ત્થા તેની પ્રાકૃત ભાષામાં સામાન્ય હતો.  

મિત્રો ત્રણ શબ્દોની  સંભાવના, અભ્યાસ અને અનુમાન રજુ કર્યા છે. સાથે નકશો પણ જેને મૂળે લેટિન કહેતા હતા, ત્યાર બાદ રોમ.'


લેટિન- Latinum આ લેટિન વ્યાકરણનુ શિષ્ટ રૂપ છે, પરંતુ તેના બીજા રૂપો જેવા કે Latio, latiou. અહિ કદાચ લિપ્યાંતર દોષ રહી જાય છે. Latus = સપાટ જમીન, પહોળુ, જેવો અર્થ થાય છે લેટિન ભાષામાં. ચાલો હવે આ શબ્દની યાત્રા કરીએ.

આ શબ્દ આવતા આંખ સામે, રોમ અને રોમનો નો ઈતિહાસ અને યુરોપનું લેગ્વેંજ ગૃપ આંખ સામે આવી જાય છે, ઈંગ્લીશ લોકો ની હાઈપોથીસીસ અનુસાર સંસ્કૃત ભાષાની ભગીની ભાષા છે. ખેર ચાલો આજે શબ્દ ના મૂળમાં જઈએ. આ શબ્દ મૂળે પ્રદેશ માટે, પર્ટીકયુલર આકાર માટે વપરાતો, જે પ્રથમ વાર ટ્રોજન-વોર ની કથામાં સંભળાયો હતો. આ શબ્દ હાલના ઈટલી માટે વપરાતો હતો. રોમ શહેર પહેલા. માથાની લટ જેવા આ પ્રદેશ ને સંસ્કૃતમાં ''લટવા '' કહે છે. અને પ્રથમ અક્ષરની ની આગળ 'આ' ક્રિયા વિશેષણ બનાવી લાટવા કરી શકાય, આ પદ્ધતિ ફકત સંસ્કૃત ભાષાની જ છે. કદાચ માથાની લટ ની જેમ લટકતા કે લાંબા સાંકડા ઉભા પટ્ટા જેવા વિસ્તાર ને કદાચ લાટવા કે લાટ કહેવા લાગ્યા હોય!!!! કારણ એક સમયે રોમમાં કશુ હતુ જ નહિ.

સંસ્કૃત ભાષીઓ નું વૃંદ જ પ્રથમ વાર ત્યાં પગ મૂકે છે. ત્યારે આ પ્રદેશની ભૌગોલિક સંરચના ને કારણે, લાટ કે લાટવા કે લાટા કહેવા લાગ્યા હોય, આ એક અનુમાન છે આ શબ્દનું પ્રાકૃત-કરપ્ટેડ ફોર્મ લાટ લાટવ કે લાટણ. સંસ્કૃત લટવા= માથાની લટ, સેર, માથાની લટ આકારનુ, બીજો એક શબ્દ લટભ= લાવણ્ય વાન, સૌંદર્ય વાન. ત્રીજો શબ્દ છે, લાટા = મૂળ પ્રદેશ, કે મૂળ રહેવાસી સ્થાનિકના સંદર્ભમાં. લાટિકા= એક શૈલી, પ્રાકૃત બોલી .

ઉભા પટ્ટા જેવા સાંકડા પ્રદેશ માટે લાટ શબ્દ સસ્કૃત ત્થા તેની પ્રાકૃત ભાષામાં સામાન્ય હતો.

મિત્રો ત્રણ શબ્દોની સંભાવના, અભ્યાસ અને અનુમાન રજુ કર્યા છે. સાથે નકશો પણ જેને મૂળે લેટિન કહેતા હતા, ત્યાર બાદ રોમ.








પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯- ૯૮૭૯૪૯૯૩૯૦૭


























.





































''પેગોડા '' શબ્દ યાત્રા ___પં.ડો. હિતેષ એ. મોઢા



'''પેગોડા '' એક શબ્દ પરિચય 

પેગોડા આજે ચાઈનિઝ અને જપાનીઝ  ભાષામાં રૂઢ થઈ ગયો છે. મૂળ આ શબ્દ જયારે બૌધ્ધ સાધુઓ નેપાળ ભુતાન, બર્મા થઈ ને કમ્બોડીયાના માર્ગે વિહાર કરતા કરતા ચીન જતા હતા. ત્યારે ''સ્તુપ' નું એક નવુ સ્વરૂપ સાથે લઈ ગયા.  નવા આ  પવિત્ર સ્થાપત્ય નૂં નામ હતુ ''પાગવાડી'' યાને દેવનું ભવન કે ભાગ્ય નું ભવન જેવો જુની તામિલ/તેલુગુમાં અર્થ થાય છે. 

દ્રાવિડ ભાષા માટે  ''પગવાડી'' શબ્દ એ સંસ્કૃત  પાસે થી લીધેલો લોનવર્ડ હતો. જેને  માટે સંસ્કૃતમાં ભવતિ,  (સ્ત્રી) ભાગવાટ્ટ જેવા શબ્દ હતા. જયારે બૌદ્ધ ધર્મ વિશ્વ ભરમાં વિહાર કરતો હતો ત્યારે અર્ધ-માગધી ભાષા, પાલી ભાષાના અનેક ગ્રંથો અને શબ્દો બ્રાહ્મી લિપીમાં અનેક દક્ષિણ/અગ્નિ એશયાઈ દેશોમાં ફરી વળ્યા  આ શબ્દ વિકૃત રૂપે દક્ષિણ પહોંચેં છે, અને ત્યાંથી પોર્ટુગીઝ લોકો લઈ ગયા અને આજે વિશ્વભરમાં પેગોડા તરીકે સ્થાયી થઈ ગયો.'


પેગોડા આજે ચાઈનિઝ અને જપાનીઝ ભાષામાં રૂઢ થઈ ગયો છે. મૂળ આ શબ્દ જયારે બૌધ્ધ સાધુઓ નેપાળ ભુતાન, બર્મા થઈ ને કમ્બોડીયાના માર્ગે વિહાર કરતા કરતા ચીન જતા હતા. ત્યારે ''સ્તુપ' નું એક નવુ સ્વરૂપ સાથે લઈ ગયા. નવા આ પવિત્ર સ્થાપત્ય નૂં નામ હતુ ''પાગવાડી'' યાને દેવનું ભવન કે ભાગ્ય નું ભવન જેવો જુની તામિલ/તેલુગુમાં અર્થ થાય છે.

દ્રાવિડ ભાષા માટે ''પગવાડી'' શબ્દ એ સંસ્કૃત પાસે થી લીધેલો લોનવર્ડ હતો. જેને માટે સંસ્કૃતમાં ભવતિ, (સ્ત્રી) ભાગવાટ્ટ,  ભાગ્યવાટ,  જેવા શબ્દ હતા. લોક બોલી કે પ્રાકૃતમાં ભાગવાડ કે પાગવાડ જેવા શબ્દો હતા. કદાચ માગધી પ્રાકૃતમાં થી આ શબ્દ દક્ષિણ ભારત પહોંચે છે.

જયારે બૌદ્ધ ધર્મ વિશ્વ ભરમાં વિહાર કરતો હતો ત્યારે અર્ધ-માગધી ભાષા, પાલી ભાષાના અનેક ગ્રંથો અને શબ્દો બ્રાહ્મી લિપીમાં અનેક દક્ષિણ/અગ્નિ એશયાઈ દેશોમાં ફરી વળ્યા આ શબ્દ વિકૃત રૂપે દક્ષિણ પહોંચેં છે, અને ત્યાંથી પોર્ટુગીઝ લોકો લઈ ગયા અને આજે વિશ્વભરમાં પેગોડા તરીકે સ્થાયી થઈ ગયો.
 
 
પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯- ૯૮૭૯૪૯૯૩૯૦૭

 
 
 
 
 
 
 
 

સ્ત્રીઓની સમસ્યાઓ અને વાસ્તુ દોષ_____ (લેખ-ક્રમાંક --૧ ) પં. ડો. હિતેષ એ. મોઢા



આજ કાલ ટીવી અને અખબારની પૂર્તિમાં વાસ્તુશાસ્ત્ર અંગેના અનેક વિધ લેખની ભરમાર આવે છે. તેમાં જરુરી ટીપ્સ કે આવશ્યક પરંતુ ટુંકી માહિતી આપવામાં આવે છે. આટલી અપર્યાપ્ત માહિતીથી આખા વાસ્તુશાસ્ત્રનું આકલન ન થઈ શકે. તેમ જ આટલી ટીપ્સથી કોઈ પણ પરિસર વેદીક વાસ્તુ શાસ્ત્ર આધારીત નથી બની જતું.
વેદીક વાસ્તુશાસ્ત્રમાં સ્ત્રીઓનો વિકાસ/સુરક્ષા અને સ્ત્રીઓના આરોગ્ય માટે અગ્નિ કોણ ને સર્વ શ્રેષ્ઠ દર્શાવ્યો છે, અગર આ કોણમાં વેદીક વાસ્તુશાસ્ત્ર આધારીત કુલ ક્ષેત્રફળના માપ, પરીસરના માપ-કદ આધારીત રસોઈઘર હોય તો. ઘણી વાર આના વિપરીત કોણમાં પણ રસોઈ ઘર હોય છે. જે વાસ્તુશાસ્ત્રમાં ફકત નિષિદ્ધ જ નહિ બલ્કે પ્રચંડ વાસ્તુ-દોષનો કારક પણ માનવામાં આવે છે. અગ્નિ કોણ માલિક ગ્રહ શુક્ર છે. (ઓજસ) તત્વ મૂળ મહાભુત અગ્નિ તત્વ છે, જાતિ સ્ત્રી છે. કોણ બહારના દેવતા/ક્ષેત્રપાલ વિદ્યારીકી છે. કોણની અંદરના દેવતા ધૂમ છે.
મંડલયોજન/પદવિન્યાસના અનેક પ્રકાર છે. ''માનવ શિલ્પ-ગૃહ શિલ્પ'' માં તેના મુખ્ય પ્રકાર ''પરમસાયિકા'' મંડલ યોજન માં અગ્નિકોણમાં કુલ નવમાંથી સાત(૭) જેટલા મુખ્ય પદ(Grid)માં દેવનો વાસ છે. જેને પૌરાણિક લોકો દેવતા તરીકે પણ ઓળખે છે, અને માને છે. સુક્ષ્મ અભ્યાસના અંતે અગ્નિ કોણના તમામ દેવતાઓ એક ઉર્જા સ્વરૂપ જ છે. જેમાં થી આધુનિક વિજ્ઞાન બે પ્રકારના સૂર્યના કિરણોને આઈડેન્ટીફાય કરી શકયુ છે. (ફકત આ અગ્નિ કોણ માટે જ)
સ્ત્રીઓ માટે આ કોણ જ સર્વશ્રેષ્ઠ શા માટે કહેવામાં આવ્યો તેના માટે એક સ્વતંત્ર લેખ આગામી સમયમાં રજુ કરીશ.
અગ્નિ કોણમા રહેલી કઈ કઈ વ્યવસ્થા કેવો પ્રભાવ આપે છે, તે અંગે વેદીક વાસ્તુશાસ્ત્રનું વિહંગાવલોકન.
--૧) રસોઈઘર---- અગર અગ્નિ કોણમાં પૂર્વાભિમુખ ન હોય તો વાયવ્ય કોણમાં પશ્ચિમાભિમુખ હોવુ જોઈએ પરંતુ આગ્નેય કોણ ૯૦ અંશનો બનતો હોવો જોઈએ. અન્યથા સ્ત્રી-વર્ગમાં કાયમ માટે બીમારી રહેવા સંભવ અથવા આગ-જની અકસ્માતની પૂરેપૂરી સંભાવના.
--૨) પરિસર અને આવાસના અગ્નિ કોણમાં પાણીનો બોર/કુવો/વાવ અથવા ઓવર દ હેડ વોટર ટેન્ક હોય તો સ્ત્રીઓ સાથે બાળકોને પણ બીમારીના યોગ. મોટા ભાગના કેસમાં સ્ત્રીઓને અસાધ્ય બીમારી પણ જોવા મળી છે. ઓવર દ હેડ ટેન્ક વાળા રસોઈઘરમાં સ્ત્રીઓના અકસ્માતે મૃત્યુ પણ જોવા મળ્યા છે.
--૩) અગર રસોઈઘર દક્ષિણદિશામાં દક્ષિણાભિમુખ હોઈ તો સ્ત્રી-વર્ગ સાથે ઘરના અન્ય સદસ્ય પણ અસાધ્ય બીમારીનો ભોગ બનવા સંભવ. તેમજ ગાયનેક પ્રોબ્લેમ રહેવા સંભવ.
-૪) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા સ્ત્રીનો મૂડ ચેન્જેબલ રહ્યા કરે છે.
-૫) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા હોર્મોન્સ/સેક્રેશન્સમાં ભરતી-ઓટ જેવુ અંસુતલન જોવા મળતુ થઈ જાય છે.
--૬) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા, લગ્નેતર સંબંધો ની શકયતાઓ પણ નકારી શકાતી નથી.
--૭) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા દાંમ્પત્ય જીવનમાં માનસિક ત્થા શારીરિક વિસંવાદિતા સર્જાય છે.
--૮) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા મિસકરેજની સંભાવના રહે છે.
-૯) દક્ષિણાભિમુખ રસોઈઘર હોતા નોકરીયાત મહિલાઓ કે બિઝનેશવૂમન માટે પ્રોગેસ/પ્રમોશન દુર ચાલ્યો જાય છે. સાથે ધન હાનિ કે બેન્ક્રપ્સી જેવા યોગ પણ સર્જાતા જોવા મળ્યા છે.
-૧૦) આગ્નેય કોણમાં બેડ-રૂમ હોઈ અને પૂર્વાભિમસ્તક શયન વ્યવસ્થા હોય અને એક્ઝેટ અગ્નિકોણમાં ટોઈલેટ હોય તો સીવીયર બ્લીડીંગ્સ અને અસંખ્ય નાની મોટી બીમારીનો સામનો કરવો પડે છે.
-૧૧) અગ્નિ કોણનો બેડરૂમ નવ પરિણિત માટે નિષિદ્ધ છે. અગર, આ રૂમ નવ-પરિણિતને એલોટ થયો હોય તો સેક્સ સંબંધિત સમસ્યા કે કુછંદનો ભોગ બનવા સંભંવ. નોર્મલ કપલ પણ અહિ સેક્સને લઈને એબ્નોર્માલીટીઝનો અનુભવ કરવા લાગે છે.
-૧૨)વયસ્ક નવયુવતિ માટે પણ આ કોણનો બેડરૂમ નિષિદ્ધ છે. કારણ યુવતિઓમાં સ્યુડોઈગોઈઝ્મ, વાહિયાત જીદ, અંધધાર્મિકતા આવવા સંભંવ. અથવા જે તે પંથ કે સંપ્રદાય કે ફિરકા ના બ્લાઈંડ ફોલોઅર બની જતા વાર નથી લાગતી. તેમાંથી જીવન ભર મુકત પણ થઈ શકતા નથી.
-૧૩) અગ્નિ કોણમાં બેડરૂમ હોતાં, અને સ્ત્રી-જાતકની જન્મ કુંડલીમાં પંચમ સ્થાને સ્વગૃહી ગુરુ અથવા શુક્ર હોય, અથવા સપ્તમ સ્થાને સ્વગૃહી ગ્રહ બાધક કે કેન્દ્રાધિશ દોષ યુકત થતો હોવાથી વિલંબથી સંતાન યોગ, નો, કોઝ સ્ટરીલીટીઝ નો યોગ કે હિનાંગ/ બીમાર/ મૃત સંતતિ જન્મવાના યોગ બને છે.
-૧૪) દક્ષિણ અગ્નિ કોણ નો પ્રવેશ હોતા અનેક વિધ બીમારીનો ભોગ બનવુ પડે છે.
-૧૫) દક્ષિણ અગ્નિ કોણ નો પ્રવેશ હોતા અવૈધ સંબંધ કે આવા સંબંધને લઈને મર્ડર મિસ્ટરી જેવા યોગ પણ સર્જાય શકે છે.
-૧૬) દક્ષિણ અગ્નિ કોણનો પ્રવેશ હોતા કન્યા સંતતિ અધિક જોવા મળે છે, તેમજ કન્યા સંતતિઓ મુશ્કેલીઓ આવવા સંભંવ.
-૧૭) દક્ષિણ અગ્નિ કોણનો પ્રવેશ હોતા પરિવારની એકાદ કન્યા ને લગ્ન ભંગ થવા સંભંવ.
-૧૮) દક્ષિણ અગ્નિ કોણનો પ્રવેશ હોતા લગ્ન કે સગાઈ જેવી મેટરમાં વિલંબ અથવા લગ્ન કે સગાઈ ન થાય તેવી પરિસ્થિતીઓ પણ જોવા મળે છે.
અગર સ્ત્રી જાતકની જન્મ કુંડલીમાં દ્વાદેશ કે એકાદશમ, દસમ કે ષષ્ઠમ સ્થાને સ્વગૃહિ મંગળ થતો હોય, અથવા આ સ્થાન પર શુક્ર સ્વગૃહિ થતો હોય અથવા આ સ્થાન પર મંગળ કે શુક્ર ને લઈ નીચ-ભંગ રાજયોગ થતો હોય તો, આવા જાતકો અગ્નિ કોણના વાસ્તુ દોષમાંથી મુકત રહી શકે છે.

અપૂર્ણમ-સંપૂર્ણમ ----વધુ આવતા લેખમાં
પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯- ૯૮૭૯૪૯૯૩૯૦૭