Friday, October 21, 2016

અલ્પ સંતાન કે નિઃસંતાન___ ક્રમાંક- એક (વેદીક જ્યોતિષી અભ્યાસ)__પં. ડો. હિતેષ એ. મોઢા




અભ્યાસ દ્વારા ફલિત થાય છે, ઘણા દંપતિઓ, જે આધુનિક મેડીકલ સાયન્સ મુજબ ફીટ હોય છે, તમામ પેથોલોજીકલ રીપોર્ટસ પણ તદન નોર્મલ હોય છે. છતાં સંતાન સુખમાં બાધા કે વિલંબ જેવા સંયોગો બનતા હોય છે.


જન્માક્ષરના સુક્ષ્મમાં સુક્ષ્મ અભ્યાસ કરતાં ઘણા બધા કારણો ઉજાગર થાય છે. જે વેદીક જ્યોતિષના મૂળ સિદ્ધાંતો અનુસાર બંધ બેસે છે, આથી સત્યાપિત થયા વિના રહેતું નથી કે ગ્રહોનુ આ ગણિત (વિજ્ઞાન) આપણને ક્યાંક ને ક્યાંક  ઉપયોગી છે.  પંચમહાભૂતના આ દેહમાં પંચ મહાભૂતો ઉપરાંત બ્રહ્માંડી તત્વો (ઉર્જા) ની ભૂમિકા પણ અતિ આવશ્યક છે.  આયુર્વેદ-જ્યોતિષ અનુસાર આ પંચ તત્વોના અંસુતલનથી, દુષિત થયેલા મૂળ ત્રિદોષ (તાસીર-પ્રકૃતિ) ને સંતુલન કરવાની જરુર પણ  સમજાય છે.


વેદીક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્મકુંડલીનું પાંચમુ સ્થાન એ સંતાન તથા ભાવ જગત(ટોટલ ઈમોશન્સ) અને બૌદ્ધિકતાનું છે. હવે પ્રાકૃતિક કુંડલી યાને કાળ પુરુષની કુંડલી મુજબ પંચમ સ્થાન એ ગર્ભાશયનું પણ છે, અને ઓવમ/સ્પર્મ, ત્થા અમ્લતા-મોટીલીટીનું પણ છે. આનો કારક ગ્રહ ગુરુ છે, ગુરુ એ એન્ડોક્રાઈનોલોજીનો પણ કારક છે.


અતિ નાજુક છે આ સ્થાન , ફળ કથન કે કાઉન્સેલીંગ માટે પણ.  ઘણી વાર આ સ્થાનને  અને તેના રીલેટેડ ગ્રહ અને સંભાવનાઓ સમજતા કે અભ્યાસ કરતા દિવસોના દિવસો નીકળી જાય છે.


એક અલગ જ અભ્યાસ .... કે ભાવ જગત અને બૌદ્ધિકતાનો સંબંધ એન્ડોક્રાઈન સીસ્ટમ સાથે સળંગ અને સતત રહ્યો છે. તે હવે છેક આધુનિક મેડીકલ સાયન્સે પૂરવાર્યુ છે. એક તર્ક પણ થાય છે, કદાચ આ તમામ પહેલુઓ પર સંશોધન કરીને જ પ્રાચીન આર્ષ-દ્રષ્ટાઓએ પંચમ સ્થાન ઉપરોકત બાબત માટે નિરધાર્યુ હોય !!!!!!!!!


અલ્પ સંતાન કે નિસંતાન યોગ માટે જવાબ દાર છે, શરીર. શરીર વિજ્ઞાન અનુસાર ઉપરોકત મેટર રજુ કરી છે, હવે શરીર ક્ઈ કઈ બાબતથી દુષિત કે રોગ ગ્રસ્ત કે થાય છે તેના માટે તમામ પેથોલોજીકલ સંભાવનાઓ ચકાસી શકાય છે, એક્ઝામિન કરી શકાય છે.

છતાં પરિણામ શૂન્ય આવે તો ???


અહિંથી જ વેદીક જ્યોતિષની શરુઆત થાય છે, વેદીક જ્યોતિષ અનુસાર અલ્પ સંતાન વિલંબ સંતાન, કે કવચિત નિઃસંતાનના યોગો, માટે કુંડલીમાંના ગ્રહો અને તેના સંયોજનો શું છે કે શું હોવા જોઈએ, તેનો મિતાભ્યાસ નીચે મુજબ છે.


(૧) પતિ -પત્નિની જન્મ કુંડલીમાં પંચમ સ્થાનનો સ્વામી ગ્રહ  કુંડલીના ૬-૮-૧૨માં સ્થાનમાં હોતા,અથવા  ષષ્ઠમ, અષ્ટમ કે દ્વાદેશ ભવનનો સ્વામી ગ્રહ પંચમ સ્થાનમાં હોતા ઉપરોકત સ્થિતીની સંભાવના.




(૨) પંચમ સ્થાન એક થી અધિક પાપ ગ્રહ હોતા, એકાદશમ ભવનમાં પણ એક થી વધુ પાપ ગ્રહ હોતા.


( ૩) પંચમ સ્થાનમાં વંધ્યા રાશિ હોતા, અને તેનો સ્વામી ગ્રહ ષષ્ઠમ ભવનમાં હોતા.


(૪) પતિ પત્નિની જન્મ કુંડલીમાં પંચમ ભવનમાં સમ ગ્રહ સમ સ્થિતીમાં હોતા.


(૫) પંચમ સ્થાનમાં સ્વ ગૃહી/ ઉંચનો ગુરુ હોતા, ગુરુથી ચતુર્થ રાશિનો સ્વામિ ગ્રહ  ષષ્ઠમ, અષ્ટમ કે દ્વાદેશ ભવનમાં હોતા.  આવી જ રીતે  ગુરુથી પંચમ રાશિનો સંબંધ પણ સુક્ષ્મ અભ્યાસમાં ધ્યાનમાં લેવાય છે.



(૬) પંચમેશ-સપ્તમેશનો પરાવર્તન યોગ હોતા, અલ્પ સંતાન કે પ્રથમ સંતાન બાદ  યેન કેન કારણો સર દ્વિતિય બાળક અવતરણ નથી થતુ, અથવા સંતાનો વિદેશમાં વસવાટ કરે અને આ કારણથી આજીવન સંતાનસુખથી વંચિત રહે.


(૭) સપ્તમાંશ કુંડલીમાં લગ્નેશ તથા પંચમેશ દુષિત કે પાપગ્રહની દ્રષ્ટીમાં કે પછી પાપ ગ્રહો સાથે હોતા.


(૮) પંચમ સ્થાનમાં રાહુ હોય અને રાહુની અંતરદશા ચાલતી હોય, અને ઘરના ઈશાન કોણમાં ઈશાન તરફ મસ્તક રાખેલો  શયન વ્યવસ્થા હોતા.


(૯) આવુ જ પંચમ સ્થાને ગુરુ હોતા આ યોગની સંભાવના વધી જવા પામે છે.


(૧૦) અલ્પ પ્રસવ રાશિમાં નંપૂસક ગ્રહ હોતા, તેમજ દંપતિના વસ્ત્રોની પસંદગી જાંબલી કે કાળાની હોતા, આવા યોગ સર્જાવા સંભવ.


(૧૧) શાસ્ત્રોકત નિઃસંતાન યોગ સ્પષ્ટ હોય અને સાથે ગુરુ દુષિત હોય, અને ઉપરથી ઘરનો ઈશાન ખુણો ૯૦ અંશથી ઓછો હોય, અથવા નૈરુત્ય કોણ દુષિત હોતા, આવા યોગની સંભાવના ઘણી વધી જાય છે.


(૧૨)  પતિ પત્નિની નાડી સમ હોતા, સાથે શત્રુ-યોની હોતા, સાથે ગુરુ દુષિત હોય, અને ઉપરથી ઘરનો ઈશાન ખુણો ૯૦ અંશથી ઓછો હોય, અથવા નૈરુત્ય કોણ દુષિત હોતા, આવા યોગની સંભાવના ઘણી વધી જાય છે.


મારા છવીસ વર્ષના અનુભવ દરમ્યાન મોટા ભાગની કુંડલીઓમાં ''ગુરુ''નુ અલ્પ બળ, તેની દુષિતતા, અન્ય થી ગ્રહથી દુષિત થતો, બાધક, કારક, મારક, ઘરનો ઈશાન ખુણો ૯૦ અંશથી ઓછો હોય, અથવા ઘર/પરિસરમાં દુષિત નૈઋત્ય કોણ .  જેવા સંયોજનો પ્રમુખ ભુમિકાએ જોવા મળ્યા છે.


વેદીક જ્યોતિષશાસ્ત્રમાં સ્થળ, સમય અને દેશ અનુસાર ફળ કથન કે પરામર્શ કરવું એવું વિદીત છે, વેદીક જ્યોતિષમાં દર્શાવેલ ઉપરના તમામ કારણોના અભ્યાસ અને ઈપ્મ્લીમેન્ટેશનને ભારતિય તથા બીન ભારતિયની કુંડલીઓમાં  જોતા આ લેખના નિષ્કર્ષ આવ્યો છે, ટુંકમાં આ લેખનો જન્મ થયો. જે અંતિમ નથી,એક અભ્યાસ લેખ જ છે.



ભૃગુ સંહિતા અનુસાર અને આયુર્વેદ-જ્યોતિષ અનુસાર અનેકાનેક નિવારણ દર્શાવવામાં આવ્યા છે. અને તેનાથી ૯૦ ટકા જાતકોમાં પોઝીટીવ રીઝલ્ટ જણાયું પણ છે. વેદીક જ્યોતિષમાં પ્રસુતિનો પ્રકાર અને આવનાર બાળકની શારીરિક સ્થિતીઓ જેવી કે હિનાંગ, પૂર્ણાંગ, વર્ણ, સીંગલ ટવીન્સ વગેરે નો વિગત વાર ઉલ્લેખ અને અભ્યાસ બન્ને છે. આ વિષયની ચર્ચા આગામી લેખમાં રજુ કરીશ.
સંતાન પ્રાપ્તિ માટે નક્ષત્ર આધારીત પુંસવન વિધી પણ આપેલી છે.  જે પ્રચલિત તથા પરિણામ લક્ષી પણ છે.

[{{{ વધુ આવતા અંકે }}}]


અપૂર્ણમ-સંપૂર્ણમ

ડો. હિતેષ એ. મોઢા

જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
યુનિવર્સીટી રોડ રાજકોટ
૧-વાઘેશ્વરી પ્લોટ પોરબંદર
૯૧૭૩૩૮૮૨૭૯
૯૮૭૯૪૯૯૩૦૭

www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com

નૈઋત્ય કોણમાં રહેલ નાનામાં નાનો દોષ /વેધ અતિ વિકટ ત્થા ગંભીર ફળ આપે છે.----પં, ડો. હિતેષ એ. મોઢા



 વેદિક વાસ્તુશાસ્ત્ર અનુસાર આખુ રહેણાક કે ઔધૌગિક કે વ્યાવસાયિક એકમ ભલે વાસ્તુ વિપરિત વ્યવસ્થા વાળુ હોય પણ નૈઋત્ય કોણ દોષ યુકત કે વેધ વાળો હોતા આખા પરિસરમાં ક્યાંક ને કયાંક કકળાટ, અને નાની મોટી સમસ્યા તો રોજ બરોજ  જોવા મળે છે જેનો ક્યારેય બૌધિકતાથી કે વ્યવહારીક અને અન્ય નિષ્ણાતિ સેવાથી અંત નથી આવતો  અને આવા પરિસરનો માલિક દિન-પ્રતિદિન હેરાન-પરેશાન કે કોઈ  ચોકક્સ પીડા લઈ ને ફરતો થઈ જાય તે નિર્વિવાદ વાત છે.

નૈઋત્ય કોણનુ ભારતિય વેદિક વાસ્તુશાસ્ત્રમાં અતિ મહત્વ છે... માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક જ કારણ નથી સાથો સાથ વિજ્ઞાનિક અને ભૌગોલીક કારણનો પણ સમાવેશ કરી દર્શન કરાવ્યુ છે.... આ કોણમાં રહેલ વેદિક વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ વિપરીત બાંધકામ કે આંતરિક વ્યવસ્થા.. પરિસરમાં રહેનાર લોકો માં ના અતિ સંવેદનશિલ વ્યક્તિને ચોક્કસ પ્રકારની હાની પહોચાડે છે... આ કોણ નો વાસ્તુ દોષ કે પછી વાસ્તુ વેધ શાસ્ત્રોકત; રાજ રોગ, ધનહાનિ,  દેવાળુ, ધંધામાં મોટી ખોટ, ધંધાનુ ધોવાણ, ધંધાનો વિકાસ ન થવો,લગ્ન વિલંબ કે લગન વિચ્છેદ, લગ્ન જીવનમાં ખટારાગ  તથા ત્રીજા કોણ જેવા અવૈધ સંબંધ આપે, , નકારાત્મક વિચારો વાળો અભિગમ, નકારાત્મક મનો વલણ, વહેમ, અંધ શ્રધ્ધાળૂ સ્વભાવ, વિચાર વાયુ, વાત રોગ, અધ્યાતિક  સવેંદનશીલતા,કસુવાવડ, કાયમી કમરનો દુખાવો, સંસ્કારીતાનો ક્ષય, ન કરવાના કામો કરાવી સમાજમાં શાખનુ નામશેષ થવુ,અવૈધ જાતિય સંબંધ,જાતિય શોષણ કે ડોમેસ્ટીક વાયોલેન્સ, ડોમેસ્ટીક મોલેસ્ટેડ, દુર્ઘટના,વાહન અકસ્માત, આત્મ હત્યા, આકસ્મિક મૃત્યુ, પારિવારિક કુસંપ, વારસા અંગે વિવાદ અને ઝગડા,પિતૃ પક્ષે હાનિ જેવા મુદ્દા ઉજાગર કરે છે.  બીજા શબ્દોમાં કહીએ તો અતિ તામસી અને ક્રુર પ્રક્રુતિ નો કારક બને છે આ કોણનો દોષ-વેધ.

આ સાથે ઘરના માલિક તથા અન્ય સદસ્યો ની જન્મ-કુંડલી નો અભ્યાસ પણ એટલો જ જરુરી બને છે. કારણ જન્મના રાહુ અને અને અષ્ટમ તથા નવમ, અને દ્વિતિય તથા તૄતિય ભાવનો અને તેના ભાવેશનો સુક્ષ્મ અભ્યાસ એટલો જ જરુરી બને છે. આ કોણમાં મુખ્યત્વે નાના મોટા કુલ ૮૧ પ્રકારના વાસ્તુ દોષ પેદા થાય છે. આપણુ આ વેદીક વાસ્તુ શાસ્ત્ર  વિસ્તૃત જ્ઞાન સભર અને વ્યાપક અર્થમાં હોતા, જેની વિસ્તાર પુર્વક અહી સમજ આપવી પણ દુષ્કર છે.

 જેમ આ કોણ ૮૧ પ્રકારના વાસ્તુ દોષ પેદા કરે છે તેમ ૮૧ પ્રકારના સુખ સુવિધાનુ પણ નિર્માણ કરે છે . અગર આ કોણ વેદિક વાસ્તુશાસ્ત્ર આધારીત હોય તો. આ કોણ જ્યોતિષશાસ્ત્ર  મુજબ રાહુ ની દિશા છે. તેમજ તેનો આધિપતિ દેવતા અનુક્રમે નૈઋતિ, પુતના અને પિતર છે. સમય સંધ્યા છે તથા મોડી રાત્રી છે. તેમનુ કારક તત્વ પૃથ્વી અને  ગુણ ભાવ ''સ્થિરતા'' છે. કુંડલીમાં ના પિતૃ-દોષ કે કાલસર્પ દોષ,નાગ દોષ, ગ્રહણ યોગ, મૂળાધાર ચક્ર,  આના અંતર્ગત આવે છે. થોડી વાર પુરતુ આપણે બધાને આશ્ચર્ય કે અનિશયોક્તિ જ લાગશે. અને લાગે જ કારણ કે આ જ શાસ્ત્રની વિષમતા કહુ કે સુરેખતા ?? જે પ્રથમ દ્રષ્ટિએ સમજ જ ના પડે. તેની સચોટતા વિશે હુ નિશંક છુ. આ અગાઉ મુબઈ હુમલાના લેખમાં, આ નૈઋત્ય કોણ ના દોષ અંગે એક લેખ લખ્યો હતો. જેમાં દરેક ઈમારત નૈરુત્ય દોષ તથા દક્ષિણ દોષ યુકત જ હતી તેમ જ શહેર પણ તે એક બંધ બેસતી પાઘડી કે  યોગાનુ યોગ ના હોઈ શકે.

અંતમાં વાંચકમિત્રો ને એટલુ જણાવવાનુ કે આ દિશાનો કોઈ પણ પ્રકારનો દોષ  અતિ અતિ ને અતિ ભયંકર ઉપાધીને નોતરે છે. આથી, સૌ પ્રથમ તો વિવેક પૂર્વક આ દોષનો જ નિકાલ કરવો ગનિમત છે. વાસ્તુ તજજ્ઞની અંતર્ગત સેવા લઈને; કારણ, ક્યારેક આપણે આપણી જ પીઠ ના દેખાતી હોય છે. તેમજ, સ્વચિકિત્સા સરવાળે ઘાતક નીવડે છે. 

આ કોણની વાસ્તુશાસ્ત્રીય-જ્યોતિષશાસ્ત્રોક્ત પરિભાષા અને વ્યાખ્યા અને વ્યક્તિત્વની ચર્ચા આગામી લેખમાં.

અપૂર્ણમ-સંપૂર્ણમ


(આ લેખ બે વર્ષ પૂર્વે એક સાંધ્ય દૈનિકમાં રજુ થયો હતો)



પં, ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
યુનિવર્સીટી રોડ, રાજકોટ
૧- વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
 સેલ, ૦૯૮૭૯૪૯૯૩૦૭. ૯૧૭૩૩૮૮૨૭૯

www.ishanastrovastu.com

www.ishanastrovastublogspot.com


પરિસરમાં ઉત્પન્ન થતો વાસ્તુ દોષ એટલે શુ ?___પં, ડો. હિતેષ એ. મોઢા


કોઈ પણ પ્રકારના આવાસીય કે વ્યાવસાયિક કે ઔદ્યોગિક પરિસરમાં નકારાત્મક ઉર્જાનો જથ્થો વધી જવો અને ત્યાં જ કાયમી ધોરણે તે નકારાત્મક ઉર્જાનુ  સ્થીર થઈ જવુ એટલે વાસ્તુ દોષ. તેમજ વાસ્તુ દોષ એટલે વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર  પરિસર ની બાંધકામ અને આંતરિક વ્યવસ્થા ને બદલે  વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર વિપરીત વ્યવસ્થા આવતા જે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થઈ પરિસરના ચોક્કસ ભાગને અવરોધે છે અને તેની પ્રતિક્રિયા રૂપે ઉત્પન્ન થતી માનવ શરીર કે માનવ જીવન કે રોજીંદા કામકાજી વલણમાં ઉભી થતી અસુવિધા એટલે વાસ્તુ દોષ.બીજા અર્થમાં જોઈ એ તો પરીસરમાંથી મળતી જીવન ના મુખ્ય ચાલક બળ  સમાન હકારાત્મક ઉર્જા ને અવરોધતી ક્રિયાને વાસ્તુ દોષ કહેવાય છે.

તેમજ, નકારાત્મક ઉર્જાનુ પરીસરમાં સ્થીર થવુ તે.તેનાથી માણસના વ્યવસાય, જીવનમાં જાત ભાતની મુશ્કેલી અને અસુખનો અનુભવ થાય છે. અને મોટા ભાગના કેસમાં કાયમી બીમારી તેમજ ધન વ્યય જેવી બાબત ઉજાગર થાય છે. સાથો સાથ  વિકાસ તથા લગ્ન જીવન, સંતાન સુખ જેવી અનેકવિધ બાબતો  પણ દ્રશ્યમાન થાય છે. દરેક કોણ -દિશા અનુસાર અલગ અલગ દોષ અને તેનાથી થતી હાનિનુ સ્પષ્ટ અને ચોક્ક્સ ચિત્રનુ નિરુપણ વેદીક વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખનિય છે.

વાસ્તુ શાસ્ત્રમાં, મુખ્ય ૮૧ પ્રકારના વાસ્તુ દોષ દર્શાવ્યા છે. અને પેટા અને બે પદ કે  બે દોષના સંયોજનથી બનતા વાસ્તુ દોષ ૮૧X ૮૧. હાલના વર્તમાન સમયમાં તમામ કોણ પર સ્થિત વાસ્તુ દોષ વધારે અને વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ફક્ત બાહ્ય ભભકો કે એલીવેશન ભવ્ય બતાવવા બધા જ  કોણ વધુ ને  વધુ દુષિત થાય છે. આપણુ વેદીક વાસ્તુ શાસ્ત્ર કેટલુ ગહન અને સુક્ષ્મગ્રાહી અભ્યાસ કર્તા છે તેનુ પ્રમાણ આવાસને પદાવલી અનુસાર વહેચીને એક એક પદ અનુસાર વ્યવસ્થા અને વિપરીત વ્યવસ્થાથી પેદા થતા દોષનો પણ ઉલ્લેખ કરે છે. આખા પરિસર ને જયોતિષ અનુસાર બાર રાશિ/ નવગ્રહ  તથા વેદીક દર્શન અનુસાર પાંચ મહાભુતમાં વિભાજન કર્યુ છે આથી વિશેષ આયુર્વેદ-જ્યોતિષ અનુસાર તાસિર; તથા માનવ કૃતિ (માનવ શરીર)અનુસાર પરિસર ને વિભાજીત કરી સુક્ષ્મ અભ્યાસ રજુ કરે છે.(બોડી એન્ડ બિલ્ડીંગ)  યોગ-દર્શન અનુસાર તમામ ચક્ર અને તેની ઉર્જાનુ  કાર્ય પણ રજુ કરે છે. આ તમામ પરિબળો કેવી રીતે એક મેક થી સંકળાયેલ છે તેમજ ઇન્ટર એક્ટ અને ઈન્ટર રીએકટ કેવી રીતે કરે છે તેનો અતિ માર્મિક અને સુક્ષ્મ અભ્યાસ રજુ કરે છે. તેમજ દરેક કોણ અને દરેક દિશાની ચોક્ક્સ વ્યવસ્થાનુ સુક્ષ્મ આકલન રજુ કરે છે. પ્રત્યેક દોષનુ નિવારણ શક્ય છે. અમુક દોષ વેધ સમાન હોતા તે દોષને  દુર કરી ત્યાં શાસ્ત્રોક્ત નિવારણ મુકીને વાસ્તુ સહમત (વાસ્તુ ફેન્ડલી) બનાવવુ ઘટે.

હાલના સમયમાં પરિસરમાં બનાવાતા આડેધડ ખાડા,  આંતરિક સજ્જા અને દેખાવ માટે બનાવતા સ્ટેપસ, તેમજ લેન્ડ સ્કેપીંગ વ્યુહ માટે બનાવતા ટેકરા, ફાઉન્ટન, તથા સેપ્ટીંક ટેન્ક, પાણીમાટે ભુગર્ભ ટાંકા, કર્ણ અને મર્મ, અતિ મર્મ રેખા ક્ષ રેખાને છેદતો પ્રવેશ દ્વાર કે ઉપરોકત વ્યવસ્થા,  આ સાથે એલીવેશનમાં શાસ્ત્રોકત માપ વિના થતુ પ્રોજેક્શન, કે ઓફસેટ, તેમજ ચોક્કસ દિશાની અગાશી પર દિવાલ અને તેના પર થયેલ લક્ઝરી વર્ક ભયંકર વાસ્તુ દોષના કારક મનાય છે. તેમજ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આંતરિક વ્યવસ્થામાં  વાસ્તુ શાસ્ત્ર સુચિત વ્યવસ્થાથી તદન વિપરીત વ્યવસ્થા કે વિપરીત તત્વો ના પદ ગોઠવવામાં આવે તો દોષ પેદા થઈ જાય છે. અહી કિચન મુખ્ય રૂમ, બેઠક રૂમ બેડ રૂમ, ટોઈલેટ/ બાથરૂમ, બેઝિન, કબાટ તિજોરી, સીલીંગ માં થતુ POP વર્ક, OTS, તેમજ અન્ય મેઝેનીન  કે માર્જિન સ્પેસ, સીડી અને તેનો રૂમ અને પગથીયાની લંબાઈX પહોળાઈ, ઝુમ્મર અને અન્ય આંતરિક સજાવટની ચીજ વસ્તુ, ચીમનીનુ આઉટ લેટ, ગંદા પાણીની નિકાસી, ઓવર ધ હેડ વોટર ટેંક, અગાશી પર અસ્થાયી વ્યવસ્થા તેમજ રવેશ, બાલ્કની, અગાશીના ઢાળ-ઢોળાવ, તેમજ બાંધકામના નિયમને છેદતા માપ વાળા બારી દરવાજા, પાર્કીગ, અને સર્વંટ રૂમ વગેરે વગેર વાસ્તુ દોષના કારક મનાય છે, જે સામાન્ય રીતે સ્પષ્ટ પણે પ્રથમ દ્રષ્ટી અભ્યાસમાં ઓળખાય જાય તેવા વાસ્તુ દોષ છે. તેમજ અમુક ખાસ અને અતિ રેર વાસ્તુ દોષનુ  સ્થળ પર કુલ બાંધકામના અભ્યાસ બાદ જ નિદાન કરી શકાય છે.

તમામ દોષને સમજવા માટે સાઈટ પર જઈને પ્લોટની દિશા કે વિદિશા સમેત પ્લોટના ક્ષેત્રફળ અને તેના પર થયેલ કુલ બાંધકામનો, માલિકની જન્માક્ષરનો  સુક્ષ્મ અભ્યાસ કરવો ઘટે. તેમજ લેખ વાંચી કોઈ અંતિમ નિર્ણય પર ના આવવુ.

આગામી લેખ માં પોઝીટીવ વાઈબ્રેશન-એનર્જી અને નેગેટીવ વાઈબ્રેશન્સ અને એનર્જીનો વિસ્તાર પૂર્વક અભ્યાસ રજુ કરવામાં આવશે.

પં, ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
યુનિવર્સીટી રોડ, રાજકોટ
૧- વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
 સેલ, ૦૯૮૭૯૪૯૯૩૦૭. ૯૧૭૩૩૮૮૨૭૯
www.ishanastrovastu.com
www.ishanastrovastublogspot.com