Monday, October 24, 2016

સ્ત્રીઓની સમસ્યાઓ અને વાસ્તુ દોષ_____ (લેખ-ક્રમાંક --૨) પં. ડો. હિતેષ એ. મોઢા


ગતાંકમાં, આપણે દક્ષિણાભિમુખ રસોઈઘર અને દક્ષિણ તરફ આગ્નેય પ્રવેશ દ્વાર, અગ્નિનો બેડરૂમ સંબંધિત ચર્ચા કરી. આ લેખમાં આગ્નેય કોણના અન્ય વાસ્તુ દોષ, તથા કેવા પ્રકારની સ્થાપત્ય વ્યવસ્થાથી ત્થા આંતરિક વ્યવસ્થાથી દુષિત થાય છે. તેની અભ્યાસ પૂર્ણ ચર્ચા ટુંકમાં કરીશું.
નાના મકાન અને મધ્યમ કે બંગલા પ્રકારના આવાસમાં અગ્નિ કોણમાં, મુખ્ય પ્રવેશ દ્વાર હોવું, ભુગર્ભ જલીય વ્યવસ્થા કે ઓવર દ હેડ ટેન્ક, કે આગ્નેય કોણમાં થી દાદર જતો હોય તો, પરિસરમાં આગ્નેય કોણ અતિ ઉંચો હોવો કે અતિ નીચો હોવો, પ્લોટમાંથી અથવા પરીસરના બાંધકામમાંથી આગ્નેય કોણ છેદાતો હોય, કપાતો હોય કે પછી ૯૦ અંશથી બન્ને કે એક દિશા તરફ વધતો હોય. તો વેદીક વાસ્તુશાસ્ત્ર અનુસાર આગ્નેય કોણ દુષિત થતો ગણાય છે.
ઉપરોકત દર્શાવેલ વ્યવસ્થા પ્રચંડ પણે વાસ્તુ દોષનો કારક બને છે. ઉપરાંત કેટલીક વ્યવસ્થા વાસ્તુ દોષ કારક છે. તે અગ્નિકોણમાં ટોઈલેટ-બાથરૂમ, તથા સેપ્ટીક ટેંક. પરંતુ આ વ્યવસ્થામાં અમુક માપ સુધી છુટછાટનો અવકાશ વેદીક વાસ્તુશાસ્ત્ર આપે છે, અગર આખુ પરિસર વાસ્તુ-સહમત બનતું હોય કે આખુ પરિસર વાસ્તુ સહમત હોય તો.
પ્રથમ ટોઈલેટની વાત કરીએ પદવિન્યાસ કે મંડલોયોજન અનુસાર આગ્નેય કોણના પૂર્વ તથા દક્ષિણના બન્ને પદ છોડી આ વ્યવસ્થા લઈ શકાય છે. આ વ્યવસ્થા કંપાઉન્ડ માટે છે. અગર પરિસરમાં આગ્નેય કોણમાં ટોઈલેટ સ્થિત હોય તો ઉપરોકત મંડલોયોજન અનુસાર ફેરફાર કરી શકાય છે તેમ પરિસરમાં મંડલોયોજન અનુસાર બે -બે પદ છોડીને ટોઈલેટ લઈ શકાય અગર અન્ય કોઈ વ્યવસ્થા ન હોય તો. પ્રથમ માળે આ વ્યવસ્થા હોઈ તો ગ્રાઉંડ ફ્લોર પર રહેલા કિચનમાં ના હોબ પર ટોઈલેટનુ કોમોડ ન આવે તેની ખાસ તકેદારી રાખવી. પરિસરમાં આગ્નેય કોણ સ્થિત ટોઈલેટ-બાથરૂમ હોય તો નિવારણ દ્વારા તેના દોષને નિર્બળ બનાવી શકાય છે. (નાશ નહિ) .
આવો જ અન્ય દોષ , જે આગ્નેય કોણને વિકૃત કે ખંડીત કરી ને ચીમની જેવી વ્યવસ્થા કરવામાં આવી હોય ત્યારે જોવા મળે છે. શકય હોય તો આવી વ્યવસ્થા ટાળવી. આમે પણ પ્રાકૃતિક રીતે આગ્નેય રસોઈ ઘરમાં ચીમનીની જરુરીયાત બહુ જ ઓછી રહે છે.
આવો જ એક અન્ય દોષ આગ્નેય કોણમાં રસોઈઘર ન હોતા વોશરૂમ હોય છે તે પણ દોષનો કારક મનાય છે.


નાના નાના અન્ય દોષ
 
 
-૧)) રસોઈઘર નો નૈઋત્ય કોણ એક્ટેન્ડ થવો.
-૨)) રસોઈઘરનો અન્ય દ્વારા નૈઋત્યમાં હોવો
-૩)) દક્ષિણાભિમુખ રસોઈ વ્યવસ્થા હોવી.
-૪)) રસોઈઘરમાં સીલીંગ પર મિરર કે રીફ્લેક્ટેડ થતા ડેકોરેટીવ્સ હોવાં
-૫)) રસોઈઘરમાં વધારે પડતાં ડાર્ક રંગો હોવા.
-૬)) પ્લેટફોર્મ પર ચપ્પુ ઘસવા
-૭)) પ્લેટફોર્મ પર ઓવર દે હેડ માળીયુ હોવુ
-૮)) અગ્નિ કોણના બેડરૂમમાં પૂર્વ તરફ મસ્તક રાખી ને શયન વ્યવસ્થા લેવી.
-૯)) અગ્નિ કોણમાં ટીનેજમાં થી પ્યુબર્ટી તરફ જતાં સંતાનોનો બેડરૂમ હોવો.
(આ વ્યવસ્થામાં નિવારણનો અવકાશ રહે છે. )
-૧૦)) ગાયનેક ડિસઓર્ડરથી મહિલા માટે નો રૂમ હોવો.
-૧૧)) એક્ઝેટ આગ્નેય કોણમાં ટોઈલેટ -બાથરૂમ હોવા
-૧૨)) આગ્નેય કોણમાં રીડીંગ કે રાઈટીંગ ટેબલ હોવુ
(આ વ્યવસ્થામાં ફેરફારનો અવકાશ રહે છે. )
-૧૩)) આગ્નેય કોણમાં જુગાર કે રમવું
-૧૪)) આગ્નેય કોણના રૂમમાં અમુક ''ખાસ'' પ્રકારના દસ્તાવેજ રાખવા
-૧૫)) આગ્નેય કોણમાં વહીવટી કબાટ હોવો. (વિપરીત દિશામાં ખુલતો)
-૧૬)) આગ્નેય કોણમાં બંધ હાલતમાં બગડેલી હાલતમાં ઈલેકટ્રોનિક કે મેકેનિકલ વસ્તુઓ હોવી.
-૧૭)) આગ્નેય કોણમાં પશ્ચિમ કે દક્ષિણ તરફ મુખ રહે તેવી બેઠક વ્યવસ્થા હોવી (ખાસ કરીને સ્ત્રી વર્ગ માટે)


પરિસરમાં ગ્રાઉંડ ફ્લોર પર આગ્નેયમાં કિચન હોવા છતાં, પ્રથમ કે દ્વિતિય કે ત્તૃતિય માળે આવી કોઈ પણ વ્યવસ્થા સ્થિત હશે તો પણ વાસ્તુ દોષ શરુ થઈ જશે. જે દેખાવમાં અતિ નાની વ્યવસ્થા છે જે સમયાનુસાર અને શુક્રની દશા-મહાદશા-અતર કે પ્રત્યતર દશા અનુસાર રોલ ભજવ્યા કરશે. આવુ જ મંગળની દશા માટે છે. તેમજ વાસ્તુ-દોષના સમય સાથે પણ કાર્યશીલ થતી રહેતી હોય છે, બન્ને રીતે વાસ્તુ-લાભ અને વાસ્તુ-દોષ. યથામતિ ઉપરોકત સુત્રો પર વિચાર વિમર્શ કરવો. અને આ બધી વ્યવસ્થા સ્ત્રીના સર્વાંગ આરોગ્ય માટે કોઈના કોઈ રૂપે તકલીફ દેય છે.

આ કોણ અંગે કેટલીક વિશિષ્ટ વાત.

-૧)) નવ વિવાહિત યુગલ માટે આ રૂમ વાસ્તુ શાસ્ત્રની દ્ર્ષ્ટીએ વર્જ્ય છે. અગર આ વ્યવસ્થા લેવી પડે તેમ હોય તો વેદીક વાસ્તુ-તજજ્ઞની પરામર્શ અચુક લેવી.
-૨)) શાસ્ત્રોકત આ કોણમાં રૂમ હોઈ તો સીલીંગમાં મિરર જેવુ કે રીફ્લેકટીવ ડેકોરેટીવ્ઝ અવશ્ય ત્યાગવા. (નવ-પરિણીતો માટે ખાસ)
-૩)) લગ્ન સગાઈ જેવી મેટરમાં વિલંબ થતુ હોય તેવી યુવતિઓ માટે આગ્નેય કોણનો બેડ રૂમ યોગ્ય નથી.

-૪)) વિજ્ઞાપન, કલા, સંગીત, પરફોમીંગઆર્ટ, ઈન્ટરનેટ કે આઈટી કે ઈન્ફ્લેમેબલ પ્રોડકડ, હોટેલ રેસ્તોરાં, ફૂડ એન્ડ બેવરેજીસ પ્રોડકટ ક્ષેત્રે રહેલા લોકોએ તેના આવાસમાં રહેલા આગ્નેય કોણમાં દોષ તેમજ ઉપરોકત વ્યવસ્થાથી ખાસ ચેતતા રહેવુ.


અપૂર્ણમ-સંપૂર્ણમ
વધુ આવતા લેખમાં

પં.ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
યુનિવર્સીટી રોડ, રાજકોટ
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯, 9879499307








No comments:

Post a Comment