આયના, ના ક'દીક ઓછા પડે
બસ, આ ચહેરાઓ બધે બાખડે
એમાં શું છે બેઉ આંખનો વાંક?
હૈયામાં, સુતા સુતા સપના સડે
ન કશું ઉલેચી શકુ, ન ભરી શકુ
હાથમાં તળ વિનાની વાવ જડે
ચપટી ભર ખૂશી કેમ લઈ શકે
લોકો બસ, એમના જ દુઃખ રડે
વાત સમજી શકયા, પવન વડે
ત્યાં તો મહેંકી, સુમન ખરી પડે
ડો હિતેષ એ. મોઢા
લખ્યા દિનાંક- ૧૧-૦૯-૨૦૦૫
No comments:
Post a Comment